Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Wednesday, August 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ‘વકીલ મંડળની ચૂંટણીમાં વિવાદ’ કેટલાક ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવા છતા માન્ય રખાયાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, તમામ ફોર્મની ફેરચકાસણી કરાશે

    ‘વકીલ મંડળની ચૂંટણીમાં વિવાદ’ કેટલાક ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવા છતા માન્ય રખાયાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, તમામ ફોર્મની ફેરચકાસણી કરાશે

    City Today DailyBy City Today DailyDecember 17, 2024

    સુરત, તા.૧૭
    સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણીમાં થયેલી ભૂલો અને તેની સામે થયેલી કાર્યવાહીનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. વકીલ કમલેશ રાવલ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશન પર સુનાવણી દરમિયાન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (બીસીજી)ને ૧૯ ડિસેમ્બર પહેલાં એક કમિટી બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જે તમામ ઉમેદવારોના ફોર્મની ફરીથી ચકાસણી કરશે. આ ર્નિણયના પગલે ચૂંટણી પ્રચારમાં જાેરશોરથી વ્યસ્ત દાવેદારોમાં ચિંતા છવાઈ ગઈ છે.
    સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીનાં પ્રમુખ પદના દાવેદાર દીપક કોકાસ સહિતના અન્ય પદોના કેટલાક દાવેદારોએ ઉમેદવારી ફોર્મમાં કરેલી ભૂલ છતાં સુરતના ચૂંટણી અધિકારીની ટીમે ફોર્મ મંજૂર કરી દેતા મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. આજે આ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થતા ૧૯ તારીખ પહેલા બીસીજીએ એક કમિટી બનાવીને તમામ ઉમેદવારોના ફોર્મની ફરીથી ચકાસણી કરવા નિર્દેશ આપ્યો હોવાનું વકીલ કમલેશ રાવલે ટેલીફોનીક વાતચીત ઉપર જણાવ્યું હતું. બીજી તરફ હાઈકોર્ટના આ નિર્દેશથી ચૂંટણીનો જોર શોરમા પ્રચાર પ્રસાર કરી રહેલા ઉમેદવારોમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. નોંધનીય છે કે પીટીશનર દ્વારા ઇલેક્શન ઉપર સ્ટે મૂકવા બાબતે જે દાદ માગી હતી તે ઉપર અરજદારને કોઈ કાનૂની રાહત મળી નથી.
    સુરતના એડવોકેટ કમલેશ રાવલે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. જેમાં સામે પક્ષકારો તરીકે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત(બીસીજી), સુરતના મુખ્ય ચુંટણી કમિશનર કમલનયન અસારાવાલા અને પ્રમુખ પદના દાવેદાર દિપક કોકાસને જોડયા હતા. પીટીશનર અરજીમાં દાદ માગવામાં આવી હતી કે, ફોર્મ ચકાસણી દરમિયાન સુરત જિલ્લા વકીલ મંડળની ચુંટણી અધિકારીની ટીમે પ્રમુખ પદના દાવેદાર દિપક કોકાસ સહિતના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ અને સોગંદનામામા ટાઈપીકલ ભુલો કરી હતી, છતા તેમના ફોર્મ મંજુર કરવામાં આવ્યા છે અને ઉમેદવારોના ફોર્મ ફાઈનલ કર્યા હતા. આ બાબતે બીસીજીને ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ બીસીજીએ મારી(અરજદાર) ફરિયાદ રદ કરી દીધી છે. જેથી બીસીજીએ કરેલા ર્નિણયને સેટેસાઈડ કરવામાં આવે તેવી દાદ માગી છે. આ ઉપરાંત ફોર્મ ચકાસણી દરમિયાન મતદારો અને અન્ય ઉમેદવારોની હાજરી દરમિયાન ફોર્મ ચકાસણી કરવા નહિ દેવામાં આવે તેવા સુરત જિલ્લા વકીલ મંડળના મુખ્ય ચુંટણી અધિકારી અને બીસીજીના ર્નિણયને પણ સેટેસાઈડ કરવા દાદ માગી હતી.
    વધુમાં દાદ માગી હતી કે, પ્રમુખ પદના દાવેદાર દિપક કોકાસે પોતાના ઉમેદવારી ફોર્મમાં ઉપપ્રમુખ પદ માટેનું ફોર્મ ભરી નાંખ્યુ હતું. આ હકીકત જાણવા છતાં સુરત વકીલ મંડળની ચુંટણીના મુખ્ય ચુંટણી કમિશ્નરે આ ઉમેદવારનું ફોર્મ પ્રમુખપદના ઉમેદવાર તરીકે માન્ય રાખ્યુ હતું. જેથી ઉમેદવાર દિપક કોકાસ સહિત જે કોઈ પણ દાવેદારોના ફોર્મમાં ભુલ છે તે તમામના ફોર્મ રદ કરી ઈલેક્શન પર સ્ટે આપવા પણ માગ કરી હતી.
    આજે બપોરે આ અરજી ઉપર સુનાવણી થઈ હતી. પીટીશનર કમલેશ રાવલ તરફે એડવોકેટ સૂરજ શુક્લા અને પરમ દવેએ દલીલો કરી હતી, જ્યારે બીસીજી તરફે વકીલ સૌરભ મહેતાએ દલીલો રજૂ કરી હતી. હાઈકોર્ટના જસ્ટિસ અનિરુદ્ધા પી. માઈ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને નિર્દેશ આપ્યો હતો કે આ અરજીના અનુસંધાને ૧૯ તારીખ પહેલા બાર કાઉન્સિલ એકટની કલમ ૪ (જી) હેઠળ આ મામલે તાકીદે એક કમિટીની નિમણૂક કરી જરૂરી ર્નિણય કરવામાં આવે હાઇકોર્ટે વધુ સુનાવણી ૧૯ મીએ હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.

    Post Views: 423
    ‘વકીલ મંડળની ચૂંટણીમાં વિવાદ’ કેટલાક ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવા છતા માન્ય રખાયાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો તમામ ફોર્મની ફેરચકાસણી કરાશે
    Previous Articleહીટ એન્ડ રનમાં પોલીસ કોન્સ્ટેબલનું મોત નિપજ્યું
    Next Article પેલેસ્ટાઈન બાદ બાંગ્લાદેશી હિન્દુઓના સમર્થનવાળી બેગ લઈ સંસદ પહોંચ્યા પ્રિયંકા ગાંધી

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.