Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Wednesday, June 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણી મતદાન થશે, ચૂંટણી પહેલાં જ ૨૧૩ બેઠકો બિનહરીફ વિજેતા

    આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણી મતદાન થશે, ચૂંટણી પહેલાં જ ૨૧૩ બેઠકો બિનહરીફ વિજેતા

    City Today DailyBy City Today DailyFebruary 15, 2025

    ગાંધીનગર, તા.૧૫
    ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે તેના માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી છે.
    રાજ્યમાં જૂનાગઢ, કઠલાલ, કપડવંજ, ગાંધીનગર, બોટાદ, અને વાંકાનેરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે મતદાન યોજાશે. આવતીકાલે રવિવારે સવારના ૭થી સાંજના ૬ વાગ્યા સુધી ઇવીએમ દ્વારા મતદાન થશે. જ્યારે ૧૮મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ મત ગણતરી હાથ ધરાશે અને ૨૧મી, ફેબ્રુઆરીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.
    રાજ્યમાં ૬૬ નગરપાલિકાઓના ૪૬૧ વોર્ડની ૧૮૪૪ બેઠકો માટેની સામાન્ય અને ૨ નગરપાલિકાઓના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૫ વોર્ડની ૬૦ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે. કઠલાલ, કપડવંજ, ગાંધીનગર એમ ૩ તાલુકા પંચાયતોની સામાન્ય તથા બોટાદ, વાંકાનેર એમ ૨ નગરપાલિકાઓની ચૂંટણીમાં આવતીકાલે મતદાન થશે.
    આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી મહાનગર પાલિકાઓની ૩ બેઠકો, નગરપાલિકાઓની ૨૧ બેઠકો, જિલ્લા પંચાયતોની ૯ બેઠકો તથા તાલુકા પંચાયતોની ૯૧ બેઠકોની પેટા ચૂંટણીઓ માટે મતદાન થશે. આવતીકાલે કુલ ૩૮લાખ ૮૬હજાર ૨૮૫મતદાતાઓ તેમનાં મતાધિકારનો ઉપયોગ કરશે.
    નગરપાલિકા, મહાનગરપાલિકા માટે ૧૬ ફેબ્રુઆરીએ મતદાન છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૨૧૩ બેઠક બિનહરીફ વિજેતા જાહેર થઇ ચુકી છે. ચૂંટણી માટે કુલ ૭,૦૩૬ ઉમેદવારી પત્ર રજૂ થયા હતા. જેમાંથી ૧,૨૬૧ ઉમેદવારી પત્ર અમાન્ય જાહેર થયા હતા. કુલ ૫,૭૭૫ ઉમેદવારી પત્ર માન્ય જાહેર થયા હતા. કુલ ૨૧૩ બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. તો હાલ ૫,૦૮૪ ઉમેદવારો મેદાનમાં છે. જૂનાગઢ મનપાની ૧૫ વોર્ડની ૬૦ બેઠકોમાંથી ૮ બિનહરીફ છે.
    અમદાવાદ મનપાની વોર્ડ નં-૭ની બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. ભાવનગર મનપાની વોર્ડ નં-૩ની બેઠક માટે પેટાચૂંટણી છે. સુરત મનપાની વોર્ડ નં-૧૮ની બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. ૬૬ નગરપાલિકાના ૪૬૧ વોર્ડ પૈકી ૨૪ વોર્ડ સંપૂર્ણ બિનહરીફ જાહેર થયા છે. નગરપાલિકાની કુલ ૧,૮૪૪ બેઠકોમાંથી ૧૬૭ બેઠક બિનહરીફ જાહેર થયા છે. કુલ ૧,૬૭૭ બેઠકો પર ચૂંટણી યોજાશે. પાલિકાની ચૂંટણી માટે કુલ ૪,૩૭૪ ઉમેદવારો મેદાનમાં છે.

    Post Views: 378
    આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણી મતદાન થશે ચૂંટણી પહેલાં જ ૨૧૩ બેઠકો બિનહરીફ વિજેતા
    Previous Articleબાબા હવાલા કૌભાંડથી બન્યો કરોડપતિ, અડાજણના બાબા-મામાની જાેડીએ એક જ વર્ષમાં હવાલા કૌભાંડ કરી અનેક ફ્લેટોના માલીક બન્યા?
    Next Article નવરાત્રીમાં બનેલો સામુહિક દુષ્કર્મ કેસમાં ૨ આરોપી દોષિત જાહેર

    Related Posts

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.