Author: City Today Daily

નવી દિલ્હી, તા.૨૩ ભારતના ૫૨માં ચીફ જસ્ટિસ બી. આર. ગવઈનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. રવિવારે તેઓ પોતાના પદથી નિવૃત્ત થઈ રહ્યા છે. નિવૃત્તિના પહેલા તેમણે ઘણા મુદ્દાઓ પર પોતાના વિચાર પ્રગટ કર્યા. સામાજિક ન્યાય અને ભવિષ્યની યોજનાઓ વિશે જણાવતા તેમણે સ્પષ્ટ કર્યું કે નિવૃત્તિ બાદ તેઓ કોઈ પણ સરકારી પદ સ્વીકાર નહીં કરે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે તેઓ પહેલા ૧૦ દિવસ આરામ કરશે અને પછી આગળની યોજના પર વિચાર કરશે. તેમણે કહ્યું કે સમાજ સેવા તેમના લોહીમાં છે અને આદિવાસી વિસ્તારોમાં સામાજિક કાર્ય કરવાની ઈચ્છા છે. જસ્ટિસ ગવઈએ સ્વતંત્ર ન્યાયતંત્ર મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે કોઈ…

Read More

(સિટી ટુડે) અમદાવાદ,તા.૨૩ SIR પ્રક્રિયા મુજબ મતદાર યાદીની શુદ્ધિકરણ પ્રક્રિયા શંકાના ઘેરામાં છે. જે રીતે આજે BLO દ્વારા મતદારોને ખાલી (Blank) ફોર્મ માત્ર સહી કરીને જમા કરવા માટે કહેવામાં આવી રહ્યું છે, તે ગંભીર મુદ્દો છે. મુખ્ય પ્રશ્ન એ છે કે — જ્યારે ફોર્મમાં જરૂરી માહિતી ભરી જ નથી, ત્યારે ડ્રાફ્ટ યાદીમાં મતદારનું નામ કયા આધારે સામેલ કરવામાં આવશે? આ પ્રક્રિયા સંપૂર્ણપણે ખોટી છે. મતદારોને પોતાની સંપૂર્ણ વિગતો સાથે ફોર્મ ભરીને જમા કરવાનો સંપૂર્ણ મોકો મળવો જોઈએ. સાથે સાથે નવા મતદારો માટે ફોર્મ-6 ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી તેઓ પોતાનું નામ નોંધાવી શકે. જનહિતમાં અમારી વિનંતિ છે કે આવતા શનિવાર અને…

Read More

તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયૂ કબીર દ્વારા આપવામાં આવેલા નિવેદન પર હોબાળો મચી ગયો છે કોલકાતા, તા.૨૨ પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયૂ કબીરના નિવેદન પર હોબાળો મચી ગયો છે. ટીએમસીના આ ધારાસભ્યએ મુર્શિદાબાદમાં ૬ ડિસેમ્બરના રોજ બાબરી મસ્જિદની આધારશિલા રાખવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે આ તારીખ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સ્થિત બાબરી મસ્જિદના વિધ્વંસની વર્ષગાંઠ છે. ભરતપુરથી ચૂંટાયેલા આ ધારાસભ્યએ ગયા વર્ષે જ આ મસ્જિદ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હુમાયૂ કબીરે શનિવારે મીડિયા એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું, અમે ૬ ડિસેમ્બરના રોજ મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા ખાતે બાબરી મસ્જિદની નીંવ રાખીશું. તેને…

Read More

પટણા, તા.૨૨ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની સરકારને ટેકો આપવા માટે તૈયારી બતાવી છે. જાે કે, તેમણે આ સમર્થન માટે એક સ્પષ્ટ શરત મૂકી છે, જે ઉત્તરપૂર્વીય બિહારનો પછાત વિસ્તાર સીમાંચલ પ્રદેશ સાથે સંબંધિત છે. અમૌરમાં એક જાહેર સભાને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, મારી પાર્ટી નીતિશ સરકારને સમર્થન આપવા તૈયાર છે, પરંતુ સીમાંચલ પ્રદેશને ન્યાય મળવો જ જાેઈએ. વિકાસ ફક્ત રાજધાની પટણા અને પર્યટન સ્થળ રાજગીર પૂરતો મર્યાદિત ન હોવો જાેઈએ. ક્યાં સુધી બધું પટણા અને રાજગીર આસપાસ કેન્દ્રિત રહેશે? તેમણે જણાવ્યું હતું કે, સીમાંચલ નદીના ધોવાણ, મોટા પાયે સ્થળાંતર…

Read More

મુંબઈ, તા.૨૨ મહારાષ્ટ્રની નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ જબરદસ્ત સરસાઈ મેળવવાનો દાવો કર્યો છે. ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખે, પાર્ટીના ૧૦૦ નગરસેવકો અને ૩ ચેરમેન નિર્વિરોધ ચૂંટાયા. આનો અર્થ એ છે કે ચૂંટણી મુકાબલો શરૂ થાય તે પહેલા જ ભાજપે એક મોટો સ્કોર બનાવી દીધો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણે આ જીતની માહિતી આપી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણના મતે પીએમ મોદી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ પર જનતાએ વિશ્વાસ મૂક્યો છે. પાર્ટીના નેતાઓ દાવો કરે છે કે ભાજપની નીતિઓ અને વિકાસના વચનોએ એટલો પ્રભાવ પાડ્યો કે ઘણી જગ્યાએ વિપક્ષે ચૂંટણીમાં ઊભા રહેવાની હિંમત…

Read More

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા SIR મુદ્દે લીગલ તથા સંકલન સમિતિની રચના કરવામાં આવી (સિટી ટુડે) અમદાવાદ,તા.૨૨ SIR તથા વોટચોરી મુદ્દે રાહુલ ગાંધી દ્વારા ગતરોજ કોંગ્રેસી કાર્યકર્તા અને નેતાઓને ચેતવણી આપવામાં આવી કે SIR તથા વોટચોરી મુદ્દે રસ્તા પર નહિં ઉતરશો તો એકશન લેવામાં આવશે. હાલ ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી વિશેષ સદન સુધારણાની પ્રક્રિયા ચાલી રહી છે. આ મહત્વની પ્રક્રિયામાં ગુજરાત કોંગ્રેસ દ્વારા SIR ના પ્રશ્નોના સમાધાન માટે લીગલ અને સંકલન સમીતીની રચના કરવામાં આવી જેમાં બાબુભાઇ પટેલ, ડો.અમીબેન યાજ્ઞિક,  ડો.હિમાંશુ પટેલ,  ડો.મનીસ દોસી,  ગ્યાસુદ્દીન શેખ,  નિકુંજ બલર એડવોકેટ,  યોગેશ રવાણી,  નવીન ભાવસાર,  કલ્પેશ પટેલ,  અરવિદ વાણીયા, દિવ્યાંગ રામાણીની…

Read More

નવી દિલ્હી, કેરળ, ઉત્તર પ્રદેશ અને અન્ય બીજા રાજ્યોમાં મતદાર યાદીઓના SIR હાથ ધરવાના ચૂંટણી પંચના ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે SIR સંબંધિત અરજીઓની સુનાવણી માટે સંમતિ આપી. ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ ભટ્ટી અને ન્યાયાધીશ જાેયમાલ્યા બાગચીની બનેલી બેન્ચે ચૂંટણી પંચને નોટિસ જાહેર કરી છે. વિવિધ રાજ્યોમાં અલગ-અલગ આધારો પર SIR કવાયતને પડકારતી વિવિધ નેતાઓની તમામ નવી અરજીઓ પર આજે સુનાવણી કરવામાં આવી. કેરળમાં SIRને પડકારતી એક અરજદાર તરફથી સિનિયર વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું કે, રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ થવાની છે. એટલા માટે આ બાબત પર તાત્કાલિક વિચારણા કરવાની જરૂર છે. બેન્ચે નિર્દેશ આપ્યો કે, કેરળમાં…

Read More

નવી દિલ્હી, તા.૨૧ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના છારા ગામમાં SIR નું કામ કરી રહેલા બુથ લેવલ ઓફિસર અને શિક્ષક અરવિંદ વાઢેરે કામના ભારણને કારણે આપઘાત કરી લીધો છે. આ ઘટનાએ શિક્ષણ સમુદાયને હચમચાવી દીધો છે અને શિક્ષક સંઘમાં ભારે આક્રોશ પેદા કર્યો છે. ૪૦ વર્ષીય અરવિંદ વાઢેરે આપઘાત પહેલા પત્નીને સંબોધિત એક ભાવુક સ્યુસાઇડ નોટ લખી છે. જેમાં તેમણે લખ્યું- મારાથી હવે આ SIRનું કામ થઈ શકશે નહીં. હું સતત કેટલાક દિવસથી થાક અને મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. તું તારૂ અને પુત્રનું ધ્યાન રાખજે. હું તમને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ હવે હું મજબૂર થઈ ગયો છું.…

Read More

સુરત, તા.૨૧ સુરત શહેરમાંથી એક અફઘાનિસ્તાનનો નાગરિક બોગસ દસ્તાવેજાેના આધારે ભારતીય પાસપોર્ટ બનાવવાના આરોપસર ઝડપાયો છે. આ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ મેળવી લીધો હતો. આરોપી દિલ્હી, મહારાષ્ટ્ર સહિત ભારતના વિવિધ રાજ્યોમાં કપડાંનો વેપાર કરતો હતો. સુરત પોલીસે બનાવટી દસ્તાવેજાે અને ઓળખના ઉપયોગ દ્વારા થતા ગંભીર ગુનાનો પર્દાફાશ કર્યો છે.સુરત ક્રાઈમ બ્રાંચે એક અફઘાનિસ્તાનના નાગરિક મોહમ્મદ આમિર જાવેદખાનની ધરપકડ કરી છે, જેણે બોગસ ભારતીય દસ્તાવેજાેના આધારે પાસપોર્ટ મેળવી લીધો હતો અને સુરતમાં કાપડનો વેપાર કરી રહ્યો હતો. સુરત શહેરમાં રહેતા એક મૂળ અફઘાનિસ્તાનના નાગરિક વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ આરોપી પર ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી…

Read More

સુરત, તા.૨૦ દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. દિલ્હી બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસના ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે એક મેગા ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા ૩૦ વર્ષમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ૨૪૦૦ આરોપીઓના ડોઝિયર તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં તેમની તમામ વિગતો સાથે આરોપીના કોઈ સગા-સંબંધી કે મિત્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અન્ય પડોશી દેશોમાં રહે છે કે કેમ? પ્રેમ સંબંધ જેવા પ્રશ્નો…

Read More