ચંદીગઢ : તા. ૧૦ લ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પંજાબમાં પણ ઊથલપાથલ શરૂ થઈ ગઈ છે. પંજાબ કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી ૩૦ ધારાસભ્ય તેમના સંપર્કમાં છે. આ દરમિયાન છછઁ કન્વીનર અરવિંદ કેજરીવાલે પંજાબના ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે. તેઓ મંગળવારે સવારે ૧૧ વાગ્યે કપૂરથલા ભવનમાં તમામ ધારાસભ્યોને મળશે. સીએમ ભગવંત માન અને તમામ મંત્રીઓ પણ હાજર રહેશે. એવું માનવામાં આવે છે કે આ કારણોસર ૧૦ ફેબ્રુઆરીએ યોજાનારી પંજાબ સરકારની કેબિનેટ બેઠક પણ મુલતવી રાખવામાં આવી હતી. ૨૦૨૨માં પંજાબની તમામ ૧૧૭ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં aap એ ૯૨, કોંગ્રેસે ૧૮, ભાજપે…
Author: City Today Daily
હવાલામાં બક્કલ મારનાર ઝેદ સહિત અન્ય ત્રણ ઇસમો સામે સીસીટીવીના આધારે એટીએમથી પૈસા ઉપાડવા જતા તપાસ શરૂ કરાઇ હોવાની ચર્ચા પોલીસ દ્વારા કરવામાં આવેલી ઝેદની પૂછપચ્છ દરમિયાન મોટા માથાઓના નામ બહાર આવ્યા હોવાની ચર્ચા (સિટી ટુડે) સુરત,તા.૦૯ સુરત શહેરમાં હવાલાબાજાેને દબોચવા સુરત પોલીસ સક્રિય થઇ હોવાની વિગતો સપાટીએ આવી છે. યુએસડીટી, હવાલા, આરએમબી અને ચમકના ચકાચોંધમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે સુરત શહેર પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ હોવાની વિગત સપાટી આવી છે. સુરત શહેરના કોટ વિસ્તારમાં ઝેદ નામના ઇસમ દ્વારા હવાલાનો બક્કલ મારાતા સીસીટીવીના આધારે એટીએમ માંથી પૈસા ઉપાડવા જતાં પોલીસની નજરમાં ચડ્યો હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે. ઝેદના સાથે…
પ્રયાગરાજ, તા.૯ મહાકુંભમાંથી સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક હિન્દુ યુવક બે મુસ્લિમ મહિલાઓ સાથે સંગમમાં સ્નાન કરવા પહોંચ્યો હતો. આ હિન્દુ યુવકનો દાવો છે કે બંને મુસ્લિમ મહિલાઓ તેની પત્ની છે. તો વળી લોકોએ જ્યારે બંને મહિલાઓ વિશે પૂછપરછ કરી તો તેણે સ્પષ્ટ કહ્યું કે, ‘‘તે બંને મુસ્લિમ છે અને જેની સાથે તેમણે લગ્ન કર્યા છે, તે યુવક હિન્દુ છે.’’ આ બંને એવું પણ કહ્યું કે, હિન્દુ ધર્મમાં લગ્ન કરીને તેઓ ખૂબ ખુશ છે. બંને દેખાવે પણ સુંદર લાગી રહી છે, જેને જાેવા માટે લોકોની ભીડ એકઠી થઈ રહી છે. આ…
નવી દિલ્હી, તા.૯ દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટી અને ભાજપની બેઠકોમાં ઉલટફેર કર્યો, પરંતુ સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકોમાં કોઈ પરિવર્તન નથી થયું. ૭૦ વિધાનસભા બેઠકો વાળી કોંગ્રેસને શૂન્ય બેઠકો મળી છે. જાે કે, દિલ્હી એક માત્ર એવું રાજ્ય નથી કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા શૂન્ય હોય. દેશમાં ઓછામાં ઓછા ૪ રાજ્યોમાં કોંગ્રેસની પાસે એક પણ ધારાસભ્ય નથી. જેમાં આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્ય પણ સામેલ છે. આ સિવાય સિક્કિમ, નાગાલેન્ડમાં પણ કોંગ્રેસને શૂન્ય બેઠક છે. જ્યારે પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં એક-એક બેઠક કોંગ્રેસ પાસે છે. આંધ્રપ્રદેશમાં ૨૦૨૪માં મે મહિનામાં વિધાનસભા ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ પૂરી તાકાતથી…
જાેધપુર, તા.૯ ચૂંટણી પરિણામોને લગતા ઘણા રસપ્રદ કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો પોતાની પસંદગીની પાર્ટીની જીત પર ફટાકડા ફોડી કે મીઠાઈઓ વહેંચી પોતાની ખુશી વ્યક્ત કરતા ઘણીવાર જાેવા મળે છે. પરંતુ શું તમે કોઈ પાર્ટીની હાર પર ગધેડાને મોજ પડી ગઈ હોય એવું જાેયું છે? નહીં ને? ચાલો અમે તમને જણાવીએ કે, કેવી રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર પછી જાેધપુરમાં ગધેડાની બલ્લે બલ્લે થઈ ગઈ. અહીં એક શખ્સે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની હારથી ખુશ થઈને ભરપેટ ગુલાબજાંબુ ખવડાવ્યાં. આમ તો ગધેડાના જીવનમાં ઢસરડા કર્યા સિવાય કંઈ હોતું નથી, પરંતુ ‘ખુદા મહેરબાન તો ગધા પહેલવાન’ની કહેવત જાેધપુરમાં…
દિલ્હી ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની નજર હવે પશ્ચિમ બંગાળ પર : તૃણમૂલ કોંગ્રેસ સાથે મુકાબલો કરવા તૈયાર નવી દિલ્હી, તા.૯ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાની રાજકીય સફર પર નીકળી પડ્યાં છે. દિલ્હી ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની નજર હવે પશ્ચિમ બંગાળ પર છે. પાર્ટી ત્યાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે મુકાબલો કરવા માટે તૈયાર છે. રાહુલ ગાંધીએ ૨૦૦૪માં સક્રિય રાજકારણમાં પગ મૂક્યો હતો અને તેઓએ યુવા બાબતોના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા હતાં. ત્યારે તેઓએ ‘એકલા ચાલો રે…’ સિદ્ધાંત પર વિશ્વાસ કર્યો હતો, એટલે પાર્ટીને એકલાં જ ઊભા રહેવું પડશે. આ સિદ્ધાંત સોનિયા ગાંધીના નેતૃત્વમાં બનેલાં INDIA ગઠબંધનથી એકદમ અલગ હતો.…
રિયાદ, તા.૯ સાઉદી અરબે પોતાની વિઝા નીતિમાં મોટા ફેરફાર કર્યા છે, સાઉદીએ ભારત સહિત ૧૪ દેશોના નાગરિકોને અપાતા મલ્ટિપલ વિઝા પર રોક લગાવી દીધી છે, હવેથી માત્ર સિંગલ એન્ટ્રી વિઝા જ આપવામાં આવશે. આ નિયમ ૧ ફેબ્રુઆરીથી અમલમાં ગણાશે. મલ્ટિપલ વિઝાનો લાભ લઈને અયોગ્ય રીતે હજ યાત્રા કરનારાઓને અટકાવવા સાઉદીએ આ ર્નિણય લીધો છે. સાઉદી સરકારે જે દેશોના મલ્ટિપલ વિઝા પર પ્રતિબંધ મુકી દીધો છે તેમાં ભારત, ઈન્ડોનેશિયા, ઈરાક, જાેર્ડન, મોરક્કો, નાઇઝીરિયા, પાકિસ્તાન, સુદાન, યમન, બાંગ્લાદેશ જેવા કુલ ૧૪ દેશોનો સમાવેશ થાય છે. જેમાં ભારતને બાદ કરતા મોટાભાગના મુસ્લિમ બહુમતવાળા દેશો છે. જાેકે ભારતમાંથી પણ હજ યાત્રા માટે લાખો મુસ્લિમો…
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ચૂંટણી હારી ગયા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની સૌથી વીવીઆઈપી સીટ નવી દિલ્હી પર પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને ભાજપના ઉમેદવાર પરવેશ વર્માએ હરાવ્યા. સવારે આઠ વાગ્યે મત ગણતરી શરૂ થઈ ત્યારથી કેજરીવાલ સતત પાછળ ચાલી રહ્યા હતા. લગભગ બે કલાકની મત ગણતરી બાદ કેજરીવાલ થોડા સમય માટે આગળ નીકળી ગયા હતા, પરંતુ આખરે તેઓ ૩૧૮૨ વોટથી ચૂંટણી હારી ગયા છે. આપના ઉમેદવાર અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને ભાજપના ઉમેદવાર તરવિંદર સિંહ મારવાહે હરાવ્યા. કાલકાજી વિધાનસભા સીટ પણ ઘણી…
નવી દિલ્હી, તા. ૮ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. તે જ સમયે, પ્રામાણિકતા અને સ્વચ્છ રાજકારણના પ્રતિનિધિ હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. એક તરફ આપની આ હારથી લોકોનો આંદોલનમાંથી ઉભરી આવેલી પાર્ટી પ્રત્યેનો મોહભંગ સાબિત થયો છે, તો બીજી તરફ તેણે ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને તેમની ગેરંટીની પુષ્ટિ કરી છે.દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની પ્રચંડ બહુમતી સાથે જીત જાેવા મળી છે. આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની સૌથી વીવીઆઈપી સીટ નવી દિલ્હી પર પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને ભાજપના ઉમેદવાર પરવેશ વર્માએ…
સુરત,તા.૦૮ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે દિલ્હીવાસીઓનો આભાર માન્યો અને ચૂંટણી પરિણામોને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, એક ઘમંડી વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં તે ભાજપને પડકાર આપતા જાેવા મળ્યા હતા, પરંતુ આજે તે વ્યક્તિ પરાજય પામી ગઈ. ભાજપ કાર્યાલય પર સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી હતી. સી.આર. પાટીલે કહ્યું હતું કે, ભાજપે અનેક વખત ભવ્ય જીત મેળવી છે અને કેટલીકવાર પરાજય પણ સ્વીકાર્યો છે. પરંતુ ૨૭ વર્ષ બાદ આ નાનકડા રાજ્યમાં મેળલી જીત આખા દેશ માટે આનંદનો વિષય છે. કોઇ…
