Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » એક શખ્સે aap ની હારથી ખુશ થઈને ગધેડાને ભરપેટ ગુલાબજાંબુ ખવડાવ્યાં

    એક શખ્સે aap ની હારથી ખુશ થઈને ગધેડાને ભરપેટ ગુલાબજાંબુ ખવડાવ્યાં

    City Today DailyBy City Today DailyFebruary 9, 2025

    જાેધપુર, તા.૯
    ચૂંટણી પરિણામોને લગતા ઘણા રસપ્રદ કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો પોતાની પસંદગીની પાર્ટીની જીત પર ફટાકડા ફોડી કે મીઠાઈઓ વહેંચી પોતાની ખુશી વ્યક્ત કરતા ઘણીવાર જાેવા મળે છે. પરંતુ શું તમે કોઈ પાર્ટીની હાર પર ગધેડાને મોજ પડી ગઈ હોય એવું જાેયું છે? નહીં ને? ચાલો અમે તમને જણાવીએ કે, કેવી રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર પછી જાેધપુરમાં ગધેડાની બલ્લે બલ્લે થઈ ગઈ. અહીં એક શખ્સે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની હારથી ખુશ થઈને ભરપેટ ગુલાબજાંબુ ખવડાવ્યાં.
    આમ તો ગધેડાના જીવનમાં ઢસરડા કર્યા સિવાય કંઈ હોતું નથી, પરંતુ ‘ખુદા મહેરબાન તો ગધા પહેલવાન’ની કહેવત જાેધપુરમાં શનિવારે સાચી થતી જાેવા મળી. બીજી બાજુ ગધેડાને લઈને રાજસ્થાનમાં વધુ એક કહેવત છે કે, ગધેડાઓની કિસ્મતમાં ‘ગુલામી’ લખી હોય છે, ગુલાબજાંબુ નહીં. પરંતુ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ચૂંટણી પરિણામોએ એ કહેવતને ખોટી સાબિત કરી બતાવી છે.
    આમ આદમી પાર્ટી અને કેજરીવાલની દિલ્હી વિધાનસભામાં થયેલી આકરી હાર પછી જાેધપુરમાં ગધેડાઓને ભરપેટ ગુલાબજાંબુ ખવડાવવામાં આવ્યાં. ઘાસની જગ્યાએ ગુલાબજાંબુ જાેઈને ગધેડા પણ ચકરી ખાઈ ગયા. ગધેડાઓને ગુલાબજાંબુ ખાતા જાેઈને લોકો પણ નવાઈમાં પડી ગયા. હકીકતમાં જાેધપુર નિવાસી મોહનદાસ વૈષ્ણવે આ અનોખો સંકલ્પ કર્યો હતો કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જાે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની હાર થાય તો તે ગધેડાઓને ગુલાબજાંબુ ખવડાવશે.
    શનિવારે આવેલા ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલને હાર થઈ અને પોતાના આ અનોખા સંકલ્પને પણ પૂર્ણ કર્યો. મોહનદાસ વૈષ્ણવનું કહેવું છે કે, ભગવાને તેની પ્રાર્થના સાંભળી લીધી. વૈષ્ણવનો આરોપ છે કે, અરવિંદ કેજરીવાલે પોતાના ગુરુને પણ દગો આપ્યો છે. કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની હારનો સંકલ્પ પૂર્ણ થવા પર તેણે ગધેડાઓને ગુલાબજાંબુ ખવડાવ્યાં છે. વૈષ્ણવે અરવિંદ કેજરીવાલ પર પણ ઘણાં પ્રકારના આરોપ લગાવ્યાં છે.

    Post Views: 396
    @aap
    Previous Articleરાહુલ ગાંધીએ કોંગ્રેસને આપ્યો ટાર્ગેટ દિલ્હીમાં aap થી હિસાબ બરાબર, હવે બંગાળનો વારો
    Next Article દિલ્હી જ નહીં, દેશના પાંચ રાજ્યમાં કોંગ્રેસનો એકપણ ધારાસભ્ય નથી

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.