Author: City Today Daily

(સિટી ટુડે) સુરત,તા.૦૪ કેસની વિગત એ રીતની છે કે, તા.૨૫/૧૨/૨૦૨૪ રોજ શહેર સુરત લાલગેટ પોલીસ સ્ટેશન પાર્ટ -એ ગુન્હા રજિસ્ટર નં. ૧૧૨૧૦૦૬૧૨૪૦૬૫૭/૨૦૨૪ થી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદાની કલમ – ૩,૪(૩) મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ હતો. તે ગુન્હા કામે આરોપીઓ – લુકમાન સૈયદ તથા આરોપી સમીરખાન સૈયદ નાઓની તા.૨૬/૧૨/૨૦૨૪ ના રોજ ધરપકડ કરેલ અને ત્યારબાદ નામદાર કોર્ટે હાલના આરોપીઓને જ્યુડીશ્યલ કસ્ટડીમા મોકલી આપવાનો હુકમ કરેલ અને આરોપીઓ તા.૨૬/૧૨/૨૦૨૪ ના રોજથી જયુડીશ્યલ કસ્ટડીમા હતા. હાલના ગુન્હાની ફરીયાદ ફરીયાદી – મજીદખાન અહેમદખાન પઠાણ નાઓ દ્વારા આપવામા આવેલ હતી અને ફરીયાદની ટૂંકી હકીકત ધ્યાને લેવામા આવે તો એ રીતની હતી…

Read More

ઝૂબેર ઘડીયાળી ફરાર થવાનો કેસ: પોલીસવાળા સહિત તમામ 8 આરોપીઓ નિર્દોષ જાહેર, સિટી ટુડે: અંકલેશ્વર:૦૩ અંકલેશ્વરના સેકન્ડ એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિજય મકવાણાએ કોર્ટમાં આરોપી અને બચાવ પક્ષની દલીલો સાંભળીને હુકમ કરી તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. નિર્દોષ જાહેર થયેલા આરોપીઓમાં સફીઉદીન ઉર્ફે લાલો તરફુદ્દીન શેખ, ઝૂબેર ઘડીયાળીની માતા શમીમ બાનુ, આસીફ ઉર્ફે આસીફ શિકારી, વિકાશભાઈ બચુભાઈ રાણા, વનરાજસિંહ કરણસિંહ ઠાકોર, સવજીભાઈ સરદારભાઈ ગરાસીયા, ગણપતભાઈ જેસીંગભાઈ પટેલીયા, નરસિહભાઈ ભાણાભાઈ પટેલ નાઓને ફ઼િ.પ્રો.કો.ક.ર૪૮(૧) અન્વયે ઈન્ડીયન પીનલ કોડની કલમ-૨૨૩, ૨૨૪,૨૨૫,૧૨૦(બી) મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. જ્યારે ઝૂબેરની પત્ની આતીયા બાનુને ફોજદારી કેસ નં.…

Read More

સ્લિપ આપ્યા વગર કલાકના ૫૦ રૂપિયા વસૂલતા પે એન્ડ પાર્કના કોન્ટ્રક્ટર સામે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ પગલાં લેવા કયાં મુહુર્તની રાહ જાેય છે (સિટી ટુડે) સુરત,તા.૦૧ સુરત શહેરના લાલગેટ મેઇન રોડ પર આવેલ મનપા સંચાલિત પે એન્ડ પાર્કમાં કોન્ટ્રાક્ટર દ્વારા જાહેર રસ્તા પર ગેરકાયદેસર ગાડીઓ પાર્ક કરાવી પૈસા વસૂલતા હોવાની ફરિયાદ બાદ ‘સિટી ટુડે’ માં પ્રકાશિત થયેલા અહેવાલના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા પગલાં લેવાતા જાહેર રસ્તા પર ગેરકાયદેસર પાકિર્ંગ બંધ કરી દેવામાં આવ્યું. સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા આ પે એન્ડ પાર્કમાં સ્લિપ આપ્યા વગર કલાકના ૫૦ રૂપિયા ગાડીઓના વાયપર પર સમય લખી ઉઘાડી લૂંટ કરવામાં આવતા છતાં 31stની રજાના મૂડમાં બેસેલા…

Read More

નવસારી (ગુજરાત) [ભારત], 1 જાન્યુઆરી: INS Plus હોસ્પિટલની શરૂઆત નવસારીમાં આરોગ્ય સેવાઓમાં સુધારો લાવવાના ઉદ્દેશ સાથે થઈ. અહીં 24 કલાકની કાર્ડિયોલોજી અને ન્યૂરોલોજી સેવાઓની ઘણી જરૂરિયાત હતી, જે આ હોસ્પિટલ દ્વારા પૂરી કરવામાં આવી. અનુભવી ડૉક્ટરો અને આધુનિક પદ્ધતિ સાથે INS Plus એ સસ્તી અને શ્રેષ્ઠ આરોગ્ય સેવા પ્રદાન કરી છે. આ હોસ્પિટલ સ્થાનિક રહેવાસીઓ તરફથી શ્રેષ્ઠ પ્રતિસાદ મેળવનારી બની છે અને અનેક જીવ બચાવવાનો અભિનવ પ્રયાસ કરી રહી છે. INS Plus હંમેશા શ્રેષ્ઠ આરોગ્ય સેવા પ્રદાન કરવા અને નવસારીના લોકોની ભલાઈ માટે કાર્યરત રહેવામાં પ્રતિબદ્ધ છે. INS PLUS હોસ્પિટલ ૩૫+ ડોકટરો, ૭૫ બેડ અને ૨૦૦ સ્ટાફ ધરાવતી એકમાત્ર હોસ્પિટલ…

Read More

સુરત,તા.૩૧ સુરત શહેરમાં ઝોન -૪ પોલીસની થર્ટી ફર્સ્ટને લઈ મોટી કાર્યવાહિ કરી છે. ડીસીપી ઝોન – ૪ પોલીસે ૨૦૦થી વધુ દારૂ પીધેલા ઈસમોને પકડી પાડ્યા છે. અલથાણ, પાંડેસરા, ખટોદરા,વેસુ,ઉમરા, અઠવા વિસ્તારમાં પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. પોલીસે દારૂના નશામાં છાકટા બનેલા પીધેલાઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ૨૦૦ થી વધુ ઈસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટ નો પર્વ ધૂમધામથી ઉજવવામાં આવતા હોય છે પરંતુ આ થર્ટી ફર્સ્ટમાં અમુક દારૂડિયાઓ છાકટા બનીને ફરતા હોય છે. ત્યારે શહેર ઝોન -૪ પોલીસે વિવિધ વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરી દારૂડીયાઓને ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે. ઝોન -૪ પોલીસની હદમાં આવતા…

Read More

સુરત,તા.૩૧ સુરત શહેરમાં બોગસ તબીબોનો રાફડો હજી પણ યથાવત છે. પાંડેસરા બાદ ખટોદરા પોલીસે વધુ ત્રણ જાેલા છાપ તબીબો સામે કાર્યવાહી કરી છે. બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવનારા ઝોલા છાપ તબીબોના આકા રસેશ ગુજરાતી,બી.કે.રાવત અને ઈરફાન નામના શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. જે આરોપીઓ હાલ સુરતની લાજપોર જેલ ખાતે બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપવાના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે. ખટોદરા પોલીસે અલગ અલગ ત્રણ સ્થળો પર આવેલ ક્લિનિકમાં છાપો મારી બે ઝોલાછાપ તબીબોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ત્રણેય ક્લિનિક પરથી એલોપેથી દવાનો મોટો જથ્થો કબજે કર્યો છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી જાેલા છાપ તબીબોનો રાફડો ચાલી આવ્યો…

Read More

ગાંધીનગર,તા.૩૧ ગુજરાત રાજ્યમાં છેલ્લાં કેટલાક સમયથી લોકો પોલીસના મનસ્વીપણાની ફરિયાદ કરી રહ્યા છે. સામાન્ય નાગરિકો એકબાજુ ન્યાય મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. તો બીજી તરફ, અસામાજિક તત્ત્વો મનફાવે તેમ જાહેરમાં ગુનાખોરીને અંજામ આપી રહ્યા હોય તેવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. વર્ષોથી નાગરિકો પોલીસ ફરિયાદ નોંધતી નથી તેવા પર આરોપ લગાવે છે, પરંતુ હવે જનતાના આ આરોપ સાચા પડ્યા છે. આ વાત હવે રાજ્ય સરકારે જ આડકતરી રીતે લેખિતમાં સ્વીકાર્યું છે. અધિક ગૃહ સચિવ એમ. કે. દાસે સીપી અને એસપીને પત્ર લખીને ચીમકી આપી છે કે, તમામ એફઆઇઆર તાત્કાલિક નોંધવામાં આવે, નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં જ…

Read More

બિહાર,તા.૩૧ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ટીમે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં જાેડાવા આમંત્રણ આપતા નીતિશ કુમાર ફરી ભાજપનો સાથ છોડી વિરોધી ગઠબંધનમાં જાેડાશે એવી વાતો વહેતી થઈ છે. જાે કે, પૂર્વ સાથી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે જેડી(યુ)ના વરિષ્ઠ નેતા માટે દરવાજા કાયમી બંધ કરવાનું સત્તાવાર નિવેદન આપ્યું છે. ગત સપ્તાહે ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા અને ગૃહ મંત્રી અમીત શાહે બોલાવેલી બેઠકમાં નીતિશ કુમાર હાજર રહેલા નહીં તો આજે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળવા પહોંચ્યાની વાતો સામે આવી છે. એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધનોમાં કૂદાકૂદ કરનારા નીતિશ કુમાર ‘પલ્ટુ’ તરીકે ખ્યાતનામ છે.…

Read More

નવી દિલ્હી, તા.૩૧ અસદુદ્દીન ઓવૈસીએ સંભલ હિંસા અંગે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારની ટીકા કરી ‘યુપી સરકાર મુસ્લિમો પર શંકા કરી રહી છે’, ઓવૈસી સંભલ જામા મસ્જિદની સામે પોલીસ ચોકી ઉભી કરવા પર નારાજ, એસપી પર પણ નિશાન સાધ્યું છે.અસદુદ્દીન ઓવૈસીએ સંભલમાં જામા મસ્જિદની સામે પોલીસ ચોકી સ્થાપવા માટે ઉત્તર પ્રદેશ સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું છે. રાજ્ય સરકાર પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે સંભલમાં પાંચ નિર્દાેષ લોકો માર્યા ગયા. સરકારે અહીં મુસ્લિમ વિસ્તારોમાં શાળાઓ બનાવવી જાેઈએ, પરંતુ સરકારની માનસિકતા સાંપ્રદાયિક છે.અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ સરકારની ટીકા કરી ‘યુપી સરકાર કહ્યું છે કે સંભલમાં મુસ્લિમો પર શંકા કરવામાં આવી રહી છે.…

Read More

સૈયદ નીઝાઉદ્દીન સૈયદ સુજાઉદ્દીન પાસેથી વિશ્વાસમાં લઇ ૬ લાખ રૂપિયાથી વધુનો માલ મંગાવ્યા બાદ રૂપિયા પરત કરવાના સમયે ધમકીઓ આપવાની શરૂ કરી (સિટી ટુડે) સુરત,તા.૩૦ ચોકબજાર મદીના માર્કેટમાં કેટલાક સમય અગાઉ ગારમેન્ટના ધંધા સાથે સંકળાયેલા અબ્દુલ્લા સોપારીવાળાએ ફરી એક વેપારીને ચુનો ચોપડી નાંખ્યો છે. સૈયદપુરા પમ્પીંગ ખાતે આવેલા કાપડના ધંધા સાથે સંકળાયેલા સૈયદ નીઝાઉદ્દીન સૈયદ સુજાઉદ્દીન પાસેથી ભરોસામાં લઇ ગારમેન્ટના માલની ખરીદી કર્યા બાદ છ લાખ રૂપિયાથી વધુનો માલ મંગાવ્યા બાદ પૈસા પરત કરવાના બદલે ધાકધમકીઓ આપી આરોપીએ જણાવ્યું કે, કોઇ પૈસા વૈસા મળશે નહિં, થાય તે કરી લે, હવે પછી ઉઘરાણી કરી તો જાનથી હાથ ધોઇ બેસશે’ તેમ કહી…

Read More