સુરત, તા.૩૧
સુરતમાં રોગચાળાના કારણે ૨ વર્ષીય બાળકનું ન્યુમોનિયાના કારણે મોત થયું છે,જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે,૧૪ જાન્યુઆરીએ બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયું હતું અને ત્યારબાદ બાળકની તબિયત સુધારા પર રહેતી ન હતી અને આખરે તેણે જિંદગીનો દમ તોડી પાડયો હતો,ઉન પાટીયાના ભીંડી બજારમાં રહે છે પરિવાર.
ન્યુમોનિયા એ ફેફસાંનો ચેપ છે જેના કારણે એક અથવા બંને ફેફસાંમાં હવાની કોથળીઓમાં સોજાે આવે છે. જ્યારે હવાની કોથળીઓ પ્રવાહી અથવા પરુ (પ્યુર્યુલન્ટ સામગ્રી) થી ભરાય ત્યારે કફ અથવા પરુ સાથે ઉધરસ, તાવ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ન્યુમોનિયા બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ સહિતની વિવિધ પ્રજાતિઓને કારણે થઈ શકે છે.
ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા ૭થી ૧૦ દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ વધી જાય છે. વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી ૨૦ મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જાેઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.