Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, July 30
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » રિકન્સ્ટ્રકશન સ્થળે જ રાજસ્થાન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કરવામાં પોલીસને આવી ગયા આંટા, માંડ-માંડ પ્રક્રિયા થઇ પૂર્ણ

    રિકન્સ્ટ્રકશન સ્થળે જ રાજસ્થાન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કરવામાં પોલીસને આવી ગયા આંટા, માંડ-માંડ પ્રક્રિયા થઇ પૂર્ણ

    City Today DailyBy City Today DailyAugust 3, 2025

    સુરત, તા.૦૩
    સુરતના લિંબાયત વિસ્તારમાં ડુંભાલ ફાયર સ્ટેશન પાસે એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ સનસનીખેજ ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ હત્યામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મૃતક આલોક અગ્રવાલ બ્રોકરનો વ્યવસાય કર્યો હતો. અજાણ્યા શખ્સોએ તેને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પૂરાવાઓના આધારે દીપક સરજુસિંગ અને ભગવાન સવાઈ નામના બે આરોપીઓને ઝડપી પડ્યા છે. આ ઉપરાંત, આ ઘટનામાં સંડોવાયેલા અફશાખ અને અભ્રા નામના બે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રકશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે રાજસ્થાન સમાજના લોકો મોટી સંખ્યામાં ત્યાં એકઠા થયા હતા. તેમણે આરોપીઓ સામે ભારે રોષ ઠાલવ્યો હતો અને સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ દરમિયાન, કેટલાક લોકોએ આરોપીઓને દંડા વડે માર મારવાનો પ્રયાસ પણ કર્યો હતો જેના કારણે થોડા સમય માટે પરીસ્થિતિ તનાવપૂર્ણ બની હતી. પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવીને રિકન્સ્ટ્રકશન પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

    Post Views: 236
    @limayat @SURATPOLICE
    Previous Articleપૈસાની લેવડ-દેવડ તથા અગાઉની અદાવત રાખી હત્યાના કેસમાં આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુક્તી કોર્ટ
    Next Article ડેડિયાપાડા લાફાકાંડમાં ચૈતર વસાવાને જામીન કે જેલ ?: હાઇકોર્ટમાં હવે 13મી ઑગસ્ટે સુનાવણી

    Related Posts

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    July 29, 2026

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    July 27, 2026

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026
    Latest Posts

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.