Author: City Today Daily

નવી દિલ્હી, તા.૨૭ હવે દેશમાં દરેક વ્યક્તિએ ભારતીય માનક સમય (IST) અપનાવવો પડશે. એક દેશ એક કર વ્યવસ્થા (જીએસટી) લાગુ કર્યા પછી અને એક દેશ એક ચૂંટણી માટે પગલાં લીધા પછી, સરકાર હવે એક દેશ એક સમયની યોજના પર કામ કરી રહી છે. સમયને સમાન બનાવવા માટે, સરકારે ભારતીય માનક સમયનો ઉપયોગ ફરજિયાત બનાવવા માટે નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ અંતર્ગત તમામ સરકારી અને કોમર્શિયલ પ્લેટફોર્મ પર (IST) નો ઉપયોગ કરવામાં આવશે. ગ્રાહક બાબતોના મંત્રાલયે આ ડ્રાફ્ટ પર ૧૪ ફેબ્રુઆરી સુધી સૂચનો માંગ્યા છે. કાનૂની મેટ્રોલોજી (ભારતીય પ્રમાણભૂત સમય) નિયમો, ૨૦૨૪નો હેતુ બધા માટે એક સમય કરવા માટે એક…

Read More

આ કાયદાના લાગૂ થયા બાદ હવે લગ્નના રજિસ્ટ્રેશનથી લઈને ડિવોર્સ સુધી બધા ધર્મના લોકો માટે કાયદોશ્વ એકસમાન દેહરાદુન, તા.૨૭ ઉત્તરાખંડમાં અઢી વર્ષની તૈયારીઓ બાદ આજે સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગૂ થયું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી આજે મુખ્ય સેવક સદનમાં યુસીસીના પોર્ટલ અને નિયમાવલીનું લોકાર્પણ કર્યું. આ માટે વહીવટી સ્તરે તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી.(યુસીસી)  માટે વિક્સિત ઓનલાઈન પોર્ટલની મોક ડ્રિલ સફળતાપૂર્વક પૂરી થઈ ચૂકી હતી. ઉત્તરાખંડમાં સોમવારે સમાન નાગરિક સંહિતા લાગૂ થઈ ગયું છે. આ સાથે જ રાજ્યમાં ઘણું બધુ બદલાઈ જશે. ઉલ્લેખનીય છે કે સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાની સાથે જ ઉત્તરાખંડ સ્વતંત્રતા બાદ આમ કરનારું પહેલું…

Read More

નવી દિલ્હી, તા.૨૭ આગામી દિવસોમાં, સામાન્ય માણસનું રસોડાનું બજેટ મોંઘું થઈ શકે છે, કારણ કે હ્લસ્ઝ્રય્ કંપનીઓ ચા, સાબુ અને બોડી વૉશ સહિતની કેટલીક પ્રોડક્ટ્‌સની કિંમતો વધારી શકે છે. વાસ્તવમાં, કોમોડિટીના ભાવમાં અસ્થિરતાને કારણે ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્‌યુમર ગુડ્‌સ કંપનીઓએ આ સામાનના ભાવ વધરાવા અંગે ચેતવણી આપી છે. ક્રૂડ પામ ઓયલ જેનો ઉપયોગ સાબુ, શેમ્પૂ, ડિટર્જન્ટ, સૌંદર્ય પ્રસાધનો અને ખાદ્ય ઉત્પાદનોમાં કરવામાં આવે છે. તેના ભાવમાં સતત અસ્થિરતા જાેવા મળે છે. પામ ઓઈલના ભાવમાં વધારાને કારણભૂત જણાવીને કંપનીઓએ દૈનિક ઉપરાશની વસ્તુઓના ભાવમાં વધારો કરવાની યોજના જણાવી રહી છે.દેશની સૌથી મોટી  કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ ) એ તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા…

Read More

CITY TODAY :27 વર્ષ ૨૦૧૯માં શાહરૂખ ખાને ‘મન્નત’ના માલિકી હકો મેળવવા માટે ૨૫ ટકા ફી ચૂકવી હતી બોલિવૂડનો સુપરસ્ટાર શાહરૂખ ખાનનો બંગલો ‘મન્નત’ ખૂબ આલીશાન છે. તેને લઈને શાહરૂખ ખાન અવારનવાર ચર્ચામાં રહેતો હોય છે. દરરોજ હજારોની સંખ્યામાં ચાહકો તેના બંગલે તેની એક ઝલક મેળવવા આવતા હોય છે. શાહરૂખ પણ તેને નિરાશ કરતો નથી. ચાહકો તેની એક ઝલક મેળવીને ખુશખુશાલ થઇ જાય છે. આ બંગલો તેના માટે ખૂબ ભાગ્શાળી છે તેવું એ ઘણી વખત કઈ ચૂક્યો છે. આ સ્થિતિમાં શાહરૂખ ખાનને આ બંગલાને લઈને કરોડો રૂપિયા મળવાના છે. હકીકતમાં વર્ષ ૨૦૧૯માં શાહરૂખ ખાને ‘મન્નત’ના માલિકી હકો મેળવવા માટે ૨૫ ટકા…

Read More

અમદાવાદ (ગુજરાત) [ભારત], 25 જાન્યુઆરી: GPP ONE ના ઇકોલક્ઝુરીયસ ફાર્મહાઉસના ઇનૉગરેશન સમારંભમાં, શહેરના 400 થી વધુ પ્રોમિનેન્ટ ફિગર્સ એકત્ર થયા હતા. આ સમારંભ મા એક નવી વિચાર દ્રષ્ટિની ઉજવણી કરવા માં આવી હતી. મોડર્ન લક્ઝરી અને નેચર ને બ્લેન્ડ કરીને કેવી રીતે GPP One ફાર્મહાઉસ કોમ્યુનિટી ને એક ઈકો કૉન્શિયસ અને સસ્ટેનેબલ કોમ્યુનિટી બનાવામાં આવી છે એ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. GPP ONE ના કુદરતી અને શાંત વાતાવરણમાં આયોજિત આ ઈવેન્ટે ઉપસ્થિતોને guests ne મંત્રમુગ્ધ કરી દીધા હતા અને તેમને ઇકો-લક્ઝુરીયસ ફાર્મહાઉસ કમ્યુનિટીનો ઇમર્સિવ અનુભવ કરાવ્યો હતો. ઉદ્યોગના અગ્રણી આર્કિટેક્ટ્સ, રિયલ એસ્ટેટ ડેવલપર્સ, પર્યાવરણવિદો અને બિઝનેસ લીડર્સ જેવા અગ્રણી વ્યક્તિઓએ…

Read More

સિટી ટુડે સુરત:૨૬ 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સુરત શહેરમાં મોરબી ટંકારા મે માણસ સમાજ દ્વારા નર્સરી થી ધોરણ 12 સુધી અને કોલેજના છોકરા છોકરીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું ઇનામ વિતરણ ના કાર્યક્રમ પહેલા મોરબી ટંકારા મેમણ સમાજ દ્વારા ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.મોરબી ટંકારા મેમાન સમાજ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ઉપલક્ષમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં નર્સરી થી ધોરણ 12 સુધી અને કોલેજ ભણતા છોકરા છોકરીઓ અને એમના માતા-પિતા પણ ઉપસ્થિત થયા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત ભણતર કરતા વિદ્યાર્થીઓને અને સમાજના અન્ય લોકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત છોકરીઓએ કહ્યું કે એવું જરૂરી નહીં કે…

Read More

૧૪મી જાન્યુઆરી ‘ઉત્તરાયણના દિવસે રવજી લાડ નામના ઇસમની મળેલી લાશ’ બાદ સરપંચ અને તલાટી દ્વારા કાયદેસર તપાસ નહિં કરાવવામાં આવતા શંકાઓ ઉપજી છે! (સિટી ટુડે) સુરત,તા.૨૫ બલેશ્વરગ્રામ પંચાયતની ઓફિસમાં ઉત્તરાયણના દિવસે શંકાસ્પદ હાલતમાં મળેલી લાશ અંગે તર્ક વિર્તકો સર્જાઇ રહ્યા છે. ગ્રામ પંચાયતની ઓફિસમાં રઉજી લાડ નામના ઇસમની જે અગાઉ એક દિવસ પહેલા ગુમ થયા હતા તેઓની ૧૪ જાન્યુઆરી રજા દિવસે રહસ્યમય રીતે ગ્રામ પંચાયતની ઓફિસમાં મળેલી લાશને પોસ્ટમોર્ટમ નહિં કરાયું અને આ અંગે પોલીસ તપાસ પણ ન કરવામાં આવતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. મળતી માહિતી મુજબ, બલેશ્વર ગામમાં રઉજી લાડ નામના ઇસમનું મૃત્યુ થવા પામ્યું હતું પણ…

Read More

સુરત,તા.૨૫ તાપીના છેવાડે ગેરકાયદે રેતી ખનન પર સુરત ફ્લાઈંગ સ્કવોર્ડે દરોડા પાડી સઘન કાર્યવાહી કરી છે. મોટા લિઝધારકો દ્વારા થતી કરોડોની રેતી ચોરી ઝડપાઈ છે. સ્ક્વોર્ડે રૂપિયા ૪ કરોડનો મુદ્દામાલ ઝડપ્યો છે. અમૂલ્ય ખનીજ સંસાધન એવી રેતી ખનનને લઈ તંત્ર સજાગ બન્યું છે. મોટા લિઝ ધારક દ્વારા થતી કરોડોની રેતી ચોરીની બાતમીના આધારે સુરત ફ્લાઈંગ સ્કવોર્ડે રેડ પાડી હતી. અરવિંદ સોલંકી નામના લિઝધારક દ્વારા રેતી ચોરી કરાતી હતી. પોતાના હદ વિસ્તાર બહાર જઈ અરવિંદ સોલંકી રેતી ખનન કરતો હતો. નિઝર તાલુકાના વ્યાવલ ગામ ખાતે માહિતીના આધારે સુરત ફ્લાઈંગ સ્કર્વોડ ત્રાટકી હતી અને ૧૮ યાત્રિક નાવડી, ૬ એક્સેવટર મશીન અને ૮…

Read More

(સિટી ટુડે) સુરત,તા.૨૫ સુરત કુખ્યાત વિરોધ નોંધાય ત્રણ ત્રણ ફરિયાદ લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા વિરોધ ખંડણી નો ગુનો નોંધી સરથાણા પોલીસ સુરતના સરથાણા વિસ્તારમાં રાજ ઇમ્પીરિયામાં ભાજપના ચિન્હ અને સાથે ઓફિસ ધરાવી મોટા ભાજપના કાર્ય કરવાની છાપ ઊભી કરનારા ડોંડા બંધુઓ લલિત અને અલ્પેશ ડોંડા અવારનવાર સોશિયલ મીડિયામાં વેપારી અને હોટલ સંચાલકોને ખોટી રીતે ધમકાવી લાખોના રૂપિયા પડાવ્યા હતા તેમજ પત્રકારો અને ઓળખ આપી લોકોને બ્લેકમેલ કરતા હતા પરંતુ આખરે ડોંડા બંધોનો પાપનો ઘડો ભરાઈ ગયો સરથાણા પોલીસ સ્ટેશન ખાતે લલિત અને અલ્પેશ ડોંડા વિરોધ ત્રણ ફરિયાદ નોંધાતા હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપી અલ્પેશ ડોંડા ની ધરપકડ કરવામાં આવી…

Read More

નવી દિલ્હી, તા.૨૫ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે અને હવે સત્તારુઢ આમ આદમી પાર્ટીએ અચાનક કોંગ્રેસ પર પ્રહાર કરવાનું શરુ કરી દીધું છે જેના કારણે હવે રાજકીય ઘમાસાણ શરુ થઈ ગયું છે. શનિવારે સવારે આમ આદમી પાર્ટીએ એક પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને બેઇમાનની યાદીમાં સામેલ કરી દીધા છે. પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ બાદ ત્રીજા નંબર પર રાહુલ ગાંધીની તસવીર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ પોસ્ટર આપની સુનિયોજિત વ્યૂહરચનાનો જ એક હિસ્સો છે. આ પોસ્ટરમાં કેજરીવાલને ઇમાનદાર અને રાહુલ ગાંધીને બેઇમાન ગણાવ્યા છે. પોસ્ટરમાં લખ્યું…

Read More