Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, August 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બલેશ્વરગ્રામ પંચાયતની ઓફિસમાંથી મળેલી શંકાસ્પદ લાશનું પોસ્ટમોર્ટમ કેમ ન કરવામાં આવ્યું?

    બલેશ્વરગ્રામ પંચાયતની ઓફિસમાંથી મળેલી શંકાસ્પદ લાશનું પોસ્ટમોર્ટમ કેમ ન કરવામાં આવ્યું?

    City Today DailyBy City Today DailyJanuary 25, 2025
    • ૧૪મી જાન્યુઆરી ‘ઉત્તરાયણના દિવસે રવજી લાડ નામના ઇસમની મળેલી લાશ’ બાદ સરપંચ અને તલાટી દ્વારા કાયદેસર તપાસ નહિં કરાવવામાં આવતા શંકાઓ ઉપજી છે!

    (સિટી ટુડે) સુરત,તા.૨૫
    બલેશ્વરગ્રામ પંચાયતની ઓફિસમાં ઉત્તરાયણના દિવસે શંકાસ્પદ હાલતમાં મળેલી લાશ અંગે તર્ક વિર્તકો સર્જાઇ રહ્યા છે. ગ્રામ પંચાયતની ઓફિસમાં રઉજી લાડ નામના ઇસમની જે અગાઉ એક દિવસ પહેલા ગુમ થયા હતા તેઓની ૧૪ જાન્યુઆરી રજા દિવસે રહસ્યમય રીતે ગ્રામ પંચાયતની ઓફિસમાં મળેલી લાશને પોસ્ટમોર્ટમ નહિં કરાયું અને આ અંગે પોલીસ તપાસ પણ ન કરવામાં આવતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
    મળતી માહિતી મુજબ, બલેશ્વર ગામમાં રઉજી લાડ નામના ઇસમનું મૃત્યુ થવા પામ્યું હતું પણ આ વ્યક્તિ ૧૩ જાન્યુઆરીના રોજ ગુમ થયા હોવાની વિગતો બહાર આવી હતી. ત્યારબાદ આગલા દિવસ એટલે ૧૪મી જાન્યુઆરી ઉત્તારયણના દિવસે બલેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસમાંથી શંકાસ્પદ લાશ મળી આવતા ચકચાર ઉઠવા પામી હતી.
    સવાલ એ ઉભો થાય છે કે, બલેશ્વર ગામના સરપંચ અને તલાટી દ્વારા સરકારી કચેરીમાં લાશ મળી આવી હોવા છતાં મૃત્યુ કે પછી હત્યા અંગેની જાણ માટે પોસ્ટમોર્ટમ કે પોલીસ ફરીયાદ પણ દાખલ કરવામાં આવી ન હતી.
    સ્થાનીકોના કહેવા મુજબ, રવજી લાડ સરપંચ, તલાટી સહિતના આગેવાનોના સંપર્ક રહેતા હતા અને સરકારી કામોમાં પણ દોડધામ કરી ગ્રામ પંચાયતની ઓફિસ પાસે જાેવા મળતા હતા.
    હવે સવાલ એ ઉભો થાય છે કે, આ રવજી લાડ નામના વ્યક્તિની લાશ ગ્રામ પંચાયતની ઓફિસમાં આવી કઇ રીતી? અને જાે આ વ્યક્તિ એક દિવસ પહેલાથી ગ્રામ પંચાયતની ઓફિસમાં હતા તો ઓફિસની સંભાળ રાખનાર ઇસમ શું આ બાબતે અજાણ હતા? આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. શું રવજી લાડનું મૃત્યુ કે પછી અન્ય કોઇ ઘટના બની તે અંગે તપાસ જરૂરી બની છે.

    Post Views: 619
    બલેશ્વરગ્રામ પંચાયતની ઓફિસમાંથી મળેલી શંકાસ્પદ લાશનું પોસ્ટમોર્ટમ કેમ ન કરવામાં આવ્યું?
    Previous Articleતાપીમાં રેતી ખનનને લઈ ફ્લાઈંગ સ્કવોર્ડના દરોડા
    Next Article 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સુરત શહેરમાં મોરબી ટંકારા મેમણ સમાજ દ્વારા નર્સરી થી ધોરણ 12 સુધી અને કોલેજના છોકરા છોકરીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું

    Related Posts

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026
    Latest Posts

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.