સુરત,તા.૧૫ સુરતમાં ભાજપ યુવા મોરચા નેતા પર નજીવી બાબતે હુમલો કરાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ૫ હુમલાખોરોએ ૨ મહિલા સહિત ૪ લોકોને તલવારના ઘા ઝીંક્યા હોવાની સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વાયરલ વીડિયોને આધારેર પાંડેસરા પોલીસે તપાસ આરંભી છે. સુરતમાં પાંડેસરા વિસ્તારમાં વોર્ડ નંબર ૨૩ના ભાજપ યુવા મોરચાના મહામંત્રી પર હુમલો કરાતા ચકચાર મચી ગઈ હતી. પાંડેસરામાં નજીવી બાબતે મારામારી લોહીયાળ બની હતી. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વિનાયક નગરમાં જાહેરમાં ૫ હુમલાખોરોએ તલવારના ઘા ઝીંકી દેતા ૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ૨ મહિલા સહિત ૪ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. પાલતુ શ્વાને પાણીના પ્લાન્ટ…
Author: City Today Daily
નવી દિલ્હી, તા. ૧૫ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતના ‘સાચી સ્વતંત્રતા’ પરના નિવેદનની બુધવારે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિંદા કરી હતી. તેમણે કહ્યું કે જાે તેઓ આવા નિવેદનો આપતા રહેશે તો તેમના માટે દેશમાં ફરવું મુશ્કેલ થઈ જશે. જાણવા મળ્યા મુજબ આજે કોંગ્રેસ પાર્ટીના નવા હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે પાર્ટીના નેતાઓને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આરએસએસ અને ભાજપના લોકો સ્વતંત્રતા (૧૯૪૭માં હાંસલ)ને યાદ નથી કરતા કારણ કે તેમના વૈચારિક પૂર્વજાેનું સ્વતંત્રતા ચળવળમાં કોઈ યોગદાન નહોતું. RSS વડા મોહન ભાગવતે સોમવારે કહ્યું હતું કે અયોધ્યામાં રામલલાના મૃત્યુની તારીખને પ્રતિષ્ઠા દ્વાદશી તરીકે ઉજવવી…
સુરત, તા.૧૩ અમરેલીના લેટરકાંડનો મામલો હવે સુરત સુધી પહોંચ્યો છે. રાજકીય અને સામાજિક આંદોલનના કેન્દ્રમાં રહેલા માનગઢ ચોકમાં પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ રાજ્યભરમાં ચકચાર જગાવનારા આ લેટરકાંડની તપાસ હવે એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી દેવામાં આવી છે. એક તરફ અમરેલી લેટરકાંડ મામલે રાજનીતિ ગરમાઈ છે તો બીજી તરફ પોલીસ પણ હવે એક્શનમાં જાેવા મળી રહી છે. અમરેલી એસપી દ્વારા રવિવારે જ એલસીબીના ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા હતા. અલ્પેશ કથીરિયાએ પણ નિર્લિપ્ત રાયને તપાસ સોંપવાના ર્નિણયને આવકાર્યો હતો અને કહ્યું હતું કે, આ બનાવમાં જે પણ સંડોવાયેલા હોય તેઓના નામ સામે…
સુરત, તા.૧૩ ઉતરાયણના પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે બાઈક પર જતા માતા-પુત્રને કાતિલ દોરી અડી જતાં ગંભીર ઈજાઓ પહોંચી છે. કામરેજથી પાંડેસરા જતા માતા-પુત્રને બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બ્રિજની વચ્ચે પડેલી દોરીના કારણે માતા-પુત્ર બંને ઈજાગ્રસ્ત થયા હતા. દીકરાને ગળાના ભાગે તો માતાને આંખના ભાગે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. અન્ય એક બનાવમાં સિક્યોરિટી ગાર્ડ બાઈક લઈને જતા હતા, તે સમયે દોરીથી ગળું કપાઈ ગયું હતું. દોરીથી ગળાની એક નસ પણ કપાઈ જતાં તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડતાં આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. ઉતરાયણ પર્વમાં કાતિલ દોરીથી અબોલ જીવોને…
ભોપાલ, તા.૧૩ નવા વર્ષની શરૂઆતમાં જ એટલે કે ૫ જાન્યુઆરીએ મધ્યપ્રદેશમાં ત્રણ પંચાયતોના નામ બદલવામાં આવ્યા હતા. હવે ફરી ૧૨ જાન્યુઆરીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે ૧૧ ગામોના નામ બદલવાની જાહેરાત કરી છે. આ વખતે, શાજાપુર જિલ્લાના કાલાપીપલમાં જનતાને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરવામાં આવી હતી. સીએમએ કહ્યું કે નિપાનિયા હિસામુદ્દીનનું નામ બદલીને નિપાનિયા દેવ કર્યું, ધબલા હુસૈનપુર નામ ધબલા રામ, મોહમ્મદપુર પાવડિયાને રામપુર પાવડિયા તરીકે, ખજુરી અલ્લાહદાદને ખજુરી રામ તરીકે ઓળખવામાં આવશે. તેમજ હાજીપુરને હીરાપુર, મોહમ્મદપુર મચ્છનાઈને મોહનપુર, રિછરી મુરાદાબાદને રિછરી, ખલીલપુર (ગ્રામ પંચાયત સિલુંડા)ને રામપુર, અંછોડને ઉંચાવડ, ઘટ્ટી મુખત્યારપુરને ઘટ્ટી અને શેખપુર બોંગીને અવધપુરી કહેવામાં આવશે. સીએમ મોહન…
લખનૌ, તા.૧૩ ઉત્તર પ્રદેશમાં માર્ગ અકસ્માતોને રોકવા માટે પરિવહન વિભાગે એક એડવાઇઝરી જારી કરી છે. ટુ-વ્હીલર વાહનોના થતા અકસ્માતો અને મૃત્યુ ઘટાડવા માટે વિભાગે કડક નિયમો અપનાવવા સૂચનાઓ જારી કરાઈ છે. આમાં, ‘નો હેલ્મેટ, નો પેટ્રોલ’ની નીતિ પ્રસ્તાવિત કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ કમિશનર બ્રજેશ નારાયણ સિંહે એક પરિપત્ર જારી કરીને પેટ્રોલપંપ સંચાલકોને હેલ્મેટ વગર પેટ્રોલ નહીં આપવાની સૂચના આપી છે. વાહનચાલકની પાછળ બેઠેલી વ્યક્તિએ પણ જાે હેલ્મેટ પહેર્યું ન હોય તો પણ પેટ્રોલ નહીં આપવા કહેવાયું છે. આ બાબતની જાણ કરતો પત્ર તમામ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ અને વિભાગીય કમિશનરોને મોકલવામાં આવ્યો છે અને આ ર્નિણયનો તાત્કાલિક અમલ કરવા જણાવાયું છે.…
શિનજિયાંગ, તા.૧૩ ચીનની સરકારે તાજેતરમાં એક મહિલાને પોતાના તથા તેના પાડોશીના બાળકોને ઇસ્લામિક શિક્ષણ આપવા બદલ ૧૭ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ચીની અધિકારીઓના મતે, તે ગેરકાયદેસર અને ભૂગર્ભ ધાર્મિક પ્રવૃત્તિ ચલાવી રહી હતી. ચીનની સરકારે માત્ર મહિલાને જે સજા નથી આપી, પરંતુ તેની પાસે અભ્યાસ કરી રહેલા માસૂમ બાળકોને પણ જેલની સજા ફટકારી છે. રિપોર્ટ અનુસાર, શિનજિયાંગના કોનાશેહર કાઉન્ટીની ઉઇગુર મહિલા સેલિહાન રોઝી તેના પુત્રો અને પાડોશીના પુત્રને ધાર્મિક શિક્ષણ આપી રહી હતી. આ દરમિયાન, ચીની અધિકારીઓએ તેને પકડી લીધી હતી. હવે તેને સજા સંભળાવતાં કોર્ટે રોઝીને ૧૭ વર્ષની જેલની સજા ફટકારી છે જ્યારે રોઝીના એક દીકરાને ૧૦…
(સિટી ટુડે) સુરત, તા.૧૨ ૧૧ વર્ષ સુધી રિલેશનમાં રહ્યાં બાદ રાંદેરના યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર પીડિતાએ રાંદેરના મોટાકદના બિલ્ડરે રૂપિયાની લાલચ આપીને ફરિયાદ પરત ખેંચવા દબાણ કર્યું હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. વિગતો અનુસાર ડિંડોલી વિસ્તારમાં રહેતી યુવતીના સમીર ઐયુબ કાકા નામના યુવક સાથે મિત્રતા હતી અને આ મિત્રતા ઘનિષ્ઠતામાં ફેરવાઈ ગઈ હતી. બંને વચ્ચે લાંબા સમયથી મેરિટલ અફેર ચાલતું હોવાની વાતો બહાર આવ્યા બાદ યુવતીએ સમીર અને તેના ઘરવાળાઓને અનેકવાર ટેલિફોનિક જાણ કરીને યોગ્ય ઘટતું કરવા ડિમાન્ડ કરી હતી પરંતુ અનિવાર્ય સંજાેગોને કારણે સમાધાન સાધી શકાયું ન હતું છેવટે થાકીને યુવતીએ સમીર, તેના ભાઈ કાસિમ, તેની માતા…
સુરત, તા.૧૨ ૧૦ જાન્યુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટે ઉત્તરાયણમાં વપરાતી ચાઈનીઝ દોરી, તુક્કલ સાથે કાચવાળી દોરીનાં ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદવા અને વાપરવા પર પ્રતિબંધ ફરમાવતો નિર્દેશ આપ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા પણ પતંગ બજારોમાં ચેકિંગ હાથ ધરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વડોદરા પોલીસે કાચથી પતંગનો દોરો માંજતા ૩૦થી વધુ કારીગરો-વેપારીઓ પાસેથી ૧૦૦ કિલોથી વધુ કાચનો પાઉડર અને ૫૦થી વધુ ફીરકીઓ કબજે કરીને પહેલી વખત ગુનો દાખલ કર્યો છે. જ્યારે સુરત પોલીસે છેલ્લા ૨૨ દિવસમાં પ્રતિબંધિત પતંગ-દોરીનું સહિતની વસ્તુઓનું વેચાણ કરતા ૫૯ વેપારી સામે કેસો કરી ૫૮ વ્યક્તિની અટકાયત કરી છે. સુરતમાં તા. ૨૧મી ડિસેમ્બર, ૨૦૨૪થી તા.૧૨મી જાન્યુઆરી, ૨૦૨૫…
સુરત, તા.૧૨ ગુજરાતમાં પુષ્પા સ્ટાઇલમાં લાકડા ચોરી હેરાફેરીનો પર્દાફાશ થયો છે. લાકડાની આંતરરાષ્ટ્રીય હેરાફેરી બહાર આવી છે. આંતરરાષ્ટ્રીય ખેર લાકડા હેરાફેરી અંગે વન મંત્રી મુકેશ પટેલ માહિતી આપી. આ રેકેટ વિશે જાણ્યા બાદ તમે પણ એમ જ કહેશો કે આ તો પુષ્પા-૨ ફિલ્મમાં બતાવવામાં આવેલા નેટવર્ક જેવું છે. તારીખ ૧૪ જુન, ૨૦૨૪ ના રોજ માંડવી દક્ષિણ રેન્જ દ્વારા ખેરના લાકડાની તસ્કરી કરતો ટ્રક પકડી પાડવામાં આવી હતી. જેના આધારે વ્યારા અને સુરત વનવિભાગ ધ્વા૨ા ૧૭ જૂન ૨૦૨૪ ના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે આવેલ શાલીમાર એન્ટપ્રાઈઝ ડેપોમાં રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમ્યાન ૨૦૫૫ મેટ્રીક ટન માલ પકડવામાં આવ્યો હતો.…
