Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, June 20
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બ્રિજ દુર્ઘટનાના ૩૬ કલાક બાદ R&Bના ૪ એન્જિનિયર સસ્પેન્ડ, ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૭ થયો

    બ્રિજ દુર્ઘટનાના ૩૬ કલાક બાદ R&Bના ૪ એન્જિનિયર સસ્પેન્ડ, ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૭ થયો

    City Today DailyBy City Today DailyJuly 10, 2025

    વડોદરા, તા.૧૦
    વડોદરાનાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ ફરી એકવાર ગુજરાતને શોકમગ્ન કરી મુક્યું છે. આ દુર્ઘટના બાદ સતત એક બાદ એક અપડેટ સામે આવી રહી છે. આ ઘટનામાં મૃત્યુઆંક ૧૭ પહોંચ્યો હતો. જે બાદમાં હવે સમાચાર સામે આવ્યા છે કે, વધુ દુર્ઘટના બાદ હવે ફાયર બ્રિગેડની ટીમને વધુ બે મૃતદેહ મળી આવ્યા છે. આજના દિવસમાં આ નદીમાંથી વધુ ૫ મૃતદેહ મળી આવ્યા છે.
    મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો ૪૫ વર્ષ જૂનો ગંભીરાબ્રિજ ૯ જુલાઈના વહેલી સવારે ૭:૩૦ વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી ૩ ટ્રક, ૧ રિક્ષા, ૧ ઈકો, ૧ પિકઅપ ડાલું સાથે જ ૨-૩ બાઇક બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં. આ સાથે જ એક ટ્રક નીચે એક ફોર-વ્હીલર પણ દબાઈ હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં ૧૭ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૮થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા હતા. દુર્ઘટનાને ૩૩ કલાકથી વધુ સમય વીતવા છતાં પણ ગુમ ૩ લોકો ના મળતાં તેમનાં પરિવારજનોની હિંમત ખૂટી ગઈ છે. તેમણે નિસાસો નાખતાં કહ્યું હતું કે ‘ફાસ્ટ કામગીરી તો અમદાવાદમાં ચાલી હતી, રૂપાણીસાહેબ હતા ને! અહીં તો ગોકળગતિએ કામગીરી ચાલે છે’. આ સાથે જ આર્મી અને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવે એવી તેમણે કલેક્ટરને રજૂઆત કરી હતી. હાલ તો ગુમ થનારા લોકોનાં પરિવારજનો નદી કિનારે બેસીને પોતાનાં સ્વજનના કોઈ સમાચારની રાહ જોઈ રહ્યા છે. વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં. ગઈકાલે આ દુર્ઘટના થયાની જાણ થઈ ત્યારથી જ મુખ્યમંત્રી દ્વારા માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું.
    મુખ્યમંત્રીએ નિષ્ણાંતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.

    Post Views: 718
    ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૭ થયો બ્રિજ દુર્ઘટનાના ૩૬ કલાક બાદ R&Bના ૪ એન્જિનિયર સસ્પેન્ડ
    Previous Articleકોંગ્રેસ કાર્યાલયમાં મારામારી, કાર્યકર્તાઓ લોહીલુહાણ
    Next Article ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ માટે મનોમંથનમાં મુસ્લિમ નેતાઓની અવગણના! ગુજરાતમાં મરણ પથારીએ કોંગ્રેસે ફરી મુસ્લિમોને સાઇડ ટ્રેક કરતા મુસ્લિમ આગેવાનોમાં રોષ ઉઠ્યો

    Related Posts

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    May 5, 2026

    ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી : પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચી અને ધક્કો માર્યો, મારા હાથ અને પગમાં સળિયા નાખવામાં આવ્યા છે છતાં, પોલીસે મને ખેંચી જેનાથી મને ખૂબ દુખાવો થયો

    December 25, 2025

    ભાજપ વોર્ડ પ્રમુખના માથામાં દૂધના કેનનું ઢાંકણ માર્યું

    December 18, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.