Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, May 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કાકા અને ભત્રીજા હાથ મિલાવશે..!

    કાકા અને ભત્રીજા હાથ મિલાવશે..!

    City Today DailyBy City Today DailyJanuary 8, 2025

    મુંબઈ, તા.૮
    ચૂંટણી બાદ શરૂ થયેલાં મહારાષ્ટ્રના રાજકીય નાટકે હવે નવો વળાંક લીધો છે. શરદ પવાર અને અજિત પવાર ફરી હાથ મિલાવી લેશે અને શરદ પવારની એનસીપીમાંથી ચૂંટાયેલા આઠ સાંસદો એનડીએમાં સામેલ થવાની અટકળોથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, શરદ પવાર પોતાની દીકરી સુપ્રિયા સૂલેને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળે તે માટે લોબિંગ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં શરદ પવાર જૂથને ફતેહ મળી હતી પરંતુ, વિધાનસભામાં તેમનો રકાસ થયો હતો. વિધાનસભામાં શરદ પવારની એનસીપીને માત્ર ૧૦ જ બેઠક મળતાં પક્ષનાં રાજકીય ભાવિ સામે પ્રશ્ન ઊભો થયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિધાનસભા પરિણામો બાદ શરદ પવારની એનસીપીના સાંસદો અને ધારાસભ્યોએ પવારને અજિત પવાર સાથે હાથ મિલાવી લેવા અને એનડીએમાં જાેડાઈ જવા માટે દબાણ વધાર્યું છે.
    સાંસદો અને ધારાસભ્યો આ મુદ્દે પણ શરદ પવાર પર દબાણ વધારી રહ્યા છે કે, અજિત પવારની એનસીપીને જ ચૂંટણી પંચે અસલી એનસીપી તરીકે માન્ય રાખી ચૂક્યું છે અને તેને ઘડિયાળનું મૂળ પ્રતિક ફાળવ્યું છે. ત્યારબાદ વિધાનસભામાં પણ અજિત પવાર જૂથને ૪૧ બેઠક મળી છે. આ સંજાેગોમાં શરદ પવારની અલગ એનસીપીનાં અસ્તિત્વ સામે સંકટ સર્જાયું છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલાં જ અજિત પવારની માતાએ શરદ પવાર તથા અજિત પવાર ફરી એક થઈ જાય તેવી ઈચ્છા પ્રગટ કરી હતી. તે વખતે પ્રફુલ્લ પટેલ સહિતના નેતાઓએ આ ઈચ્છાનો પડઘો પાડીને એમ કહ્યું હતું કે, શરદ પવાર અમારા માટે ઈશ્વર સમાન છે. ત્યારબાદ થોડા દિવસો પહેલાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના મુખપત્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરવામાં આવી ત્યારે સુપ્રિયા સૂલેએ પણ તેને અનુમોદન આપ્યું હતું.
    અગાઉ અજિત પવારે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, ૨૦૧૯માં શરદ પવારે ભાજપ સાથે જાેડાવાની તમામ તૈયારી કરી લીધી હતી પરંતુ છેલ્લી ઘડીએ તેમણે ફેરવી તોળ્યું હતું.
    રાજકીય ચર્ચાઓ અનુસાર, શરદ પવાર અને અજિત પવાર બંને હાથ મિલાવી લે અને શરદ પવારની એનસીપી પણ મહાયુતિમાં સામેલ થઈ જાય તેવા પ્રયાસો ભાજપને પણ મંજૂર છે. હકીકતમાં ભાજપ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે પરનું અવલંબન ઘટાડવા માગે છે. બીજી બાજુ રાષ્ટ્રીય સ્તરે તે નીતિશ કુમાર અંકુશમાં રહે તેમ ઈચ્છે છે. મહારાષ્ટ્રમાં સરકારની રચના વખતે એકનાથ શિંદેએ જે પ્રકારે ત્રાગાં કર્યાં હતાં તેનાથી ભાજપના નેતાઓ નાખુશ છે અને તેઓ શિંદેને વધુ કદ મુજબ વેતરવા માગે છે.

    Post Views: 511
    કાકા અને ભત્રીજા હાથ મિલાવશે..!
    Previous Articleગ્વાલિયરમાં કોલકતા જેવી ઘટના જુનિયર મહિલા તબીબ સાથે દુષ્કર્મ
    Next Article માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મળશે કેશલેસ ટ્રીટમેન્ટ : ગડકરી

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.