Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, June 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કેનેડા ગયેલા વીસ હજાર ભારતીય વિદ્યાર્થીઓ કોલેજાેમાં ગયા જ નહીં

    કેનેડા ગયેલા વીસ હજાર ભારતીય વિદ્યાર્થીઓ કોલેજાેમાં ગયા જ નહીં

    City Today DailyBy City Today DailyJanuary 18, 2025

    ઓટાવા, તા.૧૮
    કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીઝ અને સિટીઝનશિપ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્ચ અને એપ્રિલ ૨૦૨૪માં જાહેર કરાયેલા ડેટા અનુસાર, લગભગ ૫૦,૦૦૦ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને “નો-શો” જાહેર કરવામાં આવ્યાં હતાં, જેમાંથી ૨૦,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ હતા. આ સંખ્યા કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા કુલ ભારતીય વિદ્યાર્થીઓના ૫.૪ ટકા છે. અહીં “નો-શો” એ એવા વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરે છે જેમણે કેનેડિયન કોલેજાે અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે નોંધણી તો કરાવી હતી પરંતુ નિર્ધારિત સમયે વર્ગાેમાં હાજરી આપી ન હતી. બીજા શબ્દોમાં કહીએ તો, આ વિદ્યાર્થીઓ તેમની સ્ટડી પરમિટ મુજબ અભ્યાસ શરૂ કરવા માટે નિયુક્ત સંસ્થાઓમાં પહોંચ્યા ન હતા.એકંદરે, ૬.૯ ટકા સ્ટડી પરમિટ ધારકો પોતપોતાની કોલેજાેમાં પહોંચ્યા ન હતા. આ ડેટા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પાલન પ્રણાલી હેઠળ એકત્રિત કરવામાં આવ્યો હતો, જેમાં શૈક્ષણિક સંસ્થાઓને દર વર્ષે બે વાર નોંધણીની જાણ કરવી જરૂરી હોય છે.અહેવાલો દર્શાવે છે કે ૧૪૪ દેશોના વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવી હતી, અને તેઓએ શાળા-કોલેજાેમાં હાજરી નહીં આપી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ઉદાહરણ તરીકે, ફિલિપાઇન્સના ૬૮૮ વિદ્યાર્થીઓ (૨.૨ ટકા) અને ચીનના ૪,૨૭૯ (૬.૪ ટકા) વિદ્યાર્થીઓએ તેમને ફાળવવામાં આવેલી શાળા-કોલેજાેમાં હાજરી આપી ન હતી. તેનાથી વિપરીત, ઈરાન (૧૧.૬ ટકા) અને રવાન્ડા (૪૮.૧ ટકા) માં નોન-રિપોર્ટિંગ દર ખૂબ જ ઊંચો હતો.આટલી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓનો “નો-શો” માત્ર કેનેડિયન શિક્ષણ પ્રણાલી માટે જ નહીં પરંતુ ભારતીય વિદ્યાર્થીઓની છબી માટે પણ ચિંતાનો વિષય છે. નિષ્ણાતો માને છે કે આના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ખોટી માહિતીના આધારે પ્રવેશ લેવો, નાણાકીય પડકારો, અથવા અન્ય કારણોસર અભ્યાસ ચાલુ ન રાખી શકવો. કેનેડાના સત્તાવાળાઓએ આ બાબતે પગલાં લીધા છે અને શૈક્ષણિક સંસ્થાઓને નિયમિત રિપોર્ટિંગ વધારવા અને અભ્યાસ પરમિટ ધારકોની ચકાસણી કડક બનાવવાની જરૂર હોવાનું જણાવ્યું છે.

    Post Views: 977
    કેનેડા ગયેલા વીસ હજાર ભારતીય વિદ્યાર્થીઓ કોલેજાેમાં ગયા જ નહીં
    Previous Articleમોદી સરકારનું શાનદાર કામ : મોબાઈલમાં આ એપ ડાઉનલોડ કરી લો, ક્યારેય છેતરાશો નહીં
    Next Article કરીનાએ મુંબઈ પોલીસને જણાવી હુમલાની કહાની : ૬૦ કલાક પછી પણ પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી

    Related Posts

    विषय : क्षत्रिय ठाकोर सेना के अभूतपूर्व कार्यक्रम की सराहना करते गिव क्षत्रिय ठाकोर और पाटीदार समाज की तर्ज पर गुजरात के 65 लाख मुस्लिम समाज को मसलक फिरका दरकिनार कर कलमे की बुनियाद पर संगठित होने का ग्यासुद्दीन शेख का आहवान

    January 28, 2026

    આર્મીના જવાનો ઇન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે, પોસ્ટ નહીં

    December 25, 2025

    ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ : ૨૬માંથી ૨૧ મંત્રીએ શપથ લીધા

    October 17, 2025
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.