નવી દિલ્હી,૧૩
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમુખ ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ જણાવ્યું હતું કે વકફ પરનો હાલનો કાયદો ભારતીય બંધારણની અંદર જ આવે છે
વક્ફ સુધારા બિલ પર રચાયેલી ત્નઁઝ્ર એ ગુરુવારે સંસદમાં પોતાનો અહેવાલ રજૂ કર્યો હચો. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ રિપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે ભારતમાં મુસ્લિમોનો પણ તેમની મિલકત પર એટલો જ અધિકાર છે જેટલો શીખો અને હિન્દુઓનો છે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમુખ ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ જણાવ્યું હતું કે વકફ પરનો હાલનો કાયદો ભારતીય બંધારણની અંદર જ આવે છે. તે ધર્મોની સ્વતંત્રતાના કાયદા હેઠળ આવે છે.
તેમણે કહ્યું કે આ હેઠળ શીખો તેમની મિલકતોનું સંચાલન કરે છે. તેવી જ રીતે હિન્દુઓ પણ સ્વતંત્ર છે. અમને આની સામે કોઈ વાંધો નથી,
પરંતુ મુસ્લિમોને પણ એટલો જ અધિકાર છે જેટલો હિન્દુઓ અને શીખોને છે. નવા કાયદા મુજબ વક્ફ બોર્ડમાં બે બિન-મુસ્લિમોનો સમાવેશ કરવામાં આવશે અને સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા અધિકારી મુસ્લિમ હોવા જરૂરી નથી.ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ કહ્યું કે એ કહેવું નકામું છે કે આખો દેશ એક દિવસ વકફનો બની જશે. આ બધું સરકાર દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે.
વકફ માટેની અમારી લડાઈમાં હિન્દુ અને મુસ્લિમનો કોઈ પ્રશ્ન જ નથી. આ ફક્ત આપણા હકો માટેની લડાઈ છે. આ સરકાર સામેની લડાઈ છે. અમને આશા છે કે બધા ન્યાયપ્રેમી હિન્દુઓ અમને ટેકો આપશે. આપણા દેશના બંધારણમાં મૂળભૂત અધિકાર તરીકે અમને ધાર્મિક બાબતો ચલાવવાનો હક આપવામાં આવ્યો છે.
ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ કહ્યું કે, આપણા દેશના બંધારણમાં ધાર્મિક બાબતો ચલાવવાનો અધિકાર આપણને મૂળભૂત અધિકાર તરીકે આપવામાં આવ્યો છે. કોમન સિવિલ કોડ આના પર હુમલો છે. દરેક સમાજના પોતાના રસ્તા હોય છે, દરેક ધર્મના પોતાના રિવાજ હોય છે. આવી સ્થિતિમાં, તમે બધા પર એક જ કાયદો કેવી રીતે લાદી શકો છો? દેશમાં અસ્પૃશ્યતા, અસમાનતા, બેરોજગારી જેવા ઘણા મહત્ત્વના મુદ્દાઓ છે, પરંતુ તેમને બાજુ પર રાખીને સરકાર વક્ફ વિરુદ્ધ કામ કરવામાં વ્યસ્ત છે. અમે આ સ્વીકારતા નથી, અમે અંત સુધી તેની સામે લડીશું. સરકારે ભાઈચારાનું ધ્યાન રાખવું જાેઈએ.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ઉપપ્રમુખ અરશદ મદનીએ કહ્યું કે કપિલ સિબ્બલ આ કેસમાં અમારા વકીલ છે, આ મામલે તેમની સાથે કાનૂની ચર્ચા ચાલી રહી છે. આ લડાઈમાં જમિયત ઉલેમા-એ-હિંદ પણ અમારી સાથે છે.નીતિ તૈયાર કરવા માટે નિર્દેશ જાહેર કર્યા હતા.