અમદાવાદ,૧૨
ગુજરાત સરકારે જાહેર સ્થળો પર ગેરકાયદેસર ધાર્મિક સ્થળોને ૪૫૮ નોટિસ ફટકારી છે. આ વાત સરકારે ખુદ હાઈકોર્ટમાં જણાવી છે. મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલની ખંડપીઠે એક આદેશમાં કહ્યું હતું કે રાજ્ય સરકારે દિશા નિર્દોશોને લાગૂ કરવા માટે પ્રભાવી પગલા ઉઠાવ્યા છે અને સાર્વજનિક રસ્તા, જાહેર પાર્ક અને અન્ય જાહેર સ્થળો પર અનધિકૃત ધાર્મિક ઢાંચાઓના રહેવાસીઓને ૪૫૮ નોટિસ ફટકારી છે.
સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે, જનતામાં જાગૃતિ ફેલાવવા માટે સ્થાનિક અખબારોમાં ૨૬૦૭ નોટિસ પ્રકાશિત કરી છે. સાથે જ સાર્વજનિક સ્થળો પરથી ગેરકાયદેસર ધાર્મિક દબાણો હટાવવા માટે સ્થાનિક ધાર્મિક પ્રમુખોને જાગૃત કર્યા છે.
અહીં ઉલ્લેખનિય છે કે, ૨૦૦૬માં હાઈકોર્ટે જાહેર જગ્યા પર દબાણ કરનારા કથિત ધાર્મિક સ્થળોને હટાવવા માટે વડોદરા નગર નિગમ દ્વારા ચલાવવામાં આવેલા દબાણહટાવો અભિયાનના સંબંધમાં સ્વતઃ સંજ્ઞાન લેતા એક્શન શરુ કરી હતી.સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સાર્વજનિક સ્થળો પર અનધિકૃત દબાણોની ઓળખ કરવા અને તેમને હટાવવા, શિફ્ટ કરવા તથા નિયમિત કરવાના સંબંધમાં એક વ્યાપક નીતિ તૈયાર કરવા માટે નિર્દેશ જાહેર કર્યા હતા.
